“કચરો મને આપો”,કચરાપેટી પર લખેલા આ વાક્ય થી બધા પરીચીત હશે.અલબત બધાની નજરમાં આવેલુ જ હશે.કચરાપેટી કચરો સ્વીકારી ગલીઓ અને રોડ પર ફેલાતી ગંદગી દૂર કરવા ૨૪ અવર તૈયાર રહે છે.પરંતુ વાચકો માટે એક પ્રશ્ન ,ભારતની સૌથી મોટી કચરાપેટી કઇ છે? ખબર ? “સંસદ”.
સંસદ ભારતનું હદય છે.સંસદની ગરીમા ભારતીય બંધારણમાં સૌથી ઉપર છે.સંસદના ખરા માલિક Mango people છે.પરંતુ હાલની પરીસ્થિતીના અનુસંધાનમાં સંસદને કચરાપેટીની ઉપમા આપ્યા સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી.સંસદમાં બીરાજતા M.P(મેમ્બર ઓફ પાર્લામેન્ટ) માંથી ૧૬૨ M.P પર ૫૬૦ જેટલા કેસો ચાલે છે. ૧૪ M.P પર મર્ડર કેસ, ૨૦ M.P પર અટેમ્પ્ટ ટુ મર્ડર કેસ, ૧૩ M.P પર અપહરણના કેસ ચાલે છે.આ આંકડો ફક્ત ન્યાયપાલીકાની નજરમા આવેલા M.P નો છે.પરંતુ જેના કૌભાંડો અને ગુનાઓનો પર્દાફાશ ના થયો હોય તેવા M.P? તેવા લોકો માટે એક વાક્ય ઇનફ છે,”બધાને છેતરી શકશો પરંતુ પોતાની જાતને !”.સંસદમાં બીરાજનારા અડધોઅરત M.Pઓ નું ચારીત્ર્ય કચરા સમાન છે. સિમ્પલ વાત કચરો જમા થતી જગ્યા એટલે કચરાપેટી,ગામડાની ભાષામાં ઉકરડો. સંસદ એ ભારતની સૌથી મોટી કચરાપેટી?
દેશના પ્રત્યેક નાગરીકને સંસદ પ્રત્યે માન-સન્માન હોવું જોઇએ. સંસદ એટલેIndia. સમસ્યા સંસદ નથી પરંતુ સંસદમાં બિરાજતા લોકો છે.જે M.Pઓનું ચારીત્ર્ય દાગવિહીન છે,પ્રામાણીક છે,તેને આ વાત સાથે કોઇ લેવા-દેવા નથી.તેમને ભેંસની જેમ ભાંભરી ખોટા બખેડાઓ કરવાની કે પછી વિવાદાસ્પદ સ્ટેટ્મેન્ટ કહેવાની જરુર નહી પડતી.
સંસદમાંથી કચરાના નિકાલ માટે આમ જનતા પાસે એક જ હથિયાર છે, “ચૂંટણી”,એક વાતનો જવાબ હજુ નહી મળતો ચૂંટણી સમયે ઉમેદવાર ચૂંટતી વખતે લોકો આંધળા બની જાય છે, કે પછી ખૂરશી મળતાની સાથે જ ઉમેદવાર “કેમેલીયોન” બની જાય છે. મોંઘવારી, કરપ્શન જેવા ઇસ્યુ દેશની કમર તોડી રહ્યા છે.દેશ અંદરથી ખોખલો થઇ રહ્યો છે,આ વાત સંસદોને કેમ નથી સમજાતી?
આજ પરીસ્થિતી રહેશે તો આવનારા પાંચ વર્ષ પછી જન્મતું બાળક માતા અને પિતા પહેલા મોંઘવારી, કરપ્શન, ગરીબી જેવા શબ્દો બોલવા લાગશે તો અચરજ નહી લાગે.દેશના નાગરીકને ગ્રીનહાઉસ ઇફેક્ટ જેવી કુદરતી સમસ્યાઓની ચીંતા કરતાં આવી વાહીયાત સમસ્યાઓ વધુ સતાવી રહી છે. જનરલ વિ.કે.સિંહ ની વાત જોતા એવું લાગે છે,દેશની સિમારેખાઓની સુરક્ષા કરનારી આર્મિ જ સુરક્ષીત નથી, આમ નાગરીકની વાત તો બહુ દૂર રહી! સરકાર તો બહુ ગહેરી ઉંઘ કરી રહી છે,કરપ્શન, મોંઘવારી ગરીબી જેવા લોહી ચૂંસતા કીડાનો નાશ કરવા આમ નાગરીકે જ આગળ આવવું પડશે.
આ સમયે અજય દેવગણ અભિનીત, પ્રકાશ ઝા ડાયરેક્ટેડ ગંગાજલ મૂવીનો એક ડાયલોગ યાદ આવે છે, “ પબ્લિક કો વૈસી હી પુલીસ મીલતી હૈ,જૈસા પબ્લિક ચાહતી હૈ. આ ડાયલોગ માંથી ‘પોલિસ’ શબ્દ રીમુવ કરી ‘દેશ’ શબ્દ એડ કરી જુઓ.કોઇ રસ્તો મળી પણ જાય!
- સંસદને કચરાપેટી ની ઉપમા,આ વાત પર બખેડો કરવાની જરુર નથી. જરુર છે સમસ્યા દૂર કરવાની.યુવાન રાઇટર હોવાને નાતે મારી વાત કલમથી કહેવાની કોશીશ કરી છે.સર્પચાલની જેમ આર્ટીકલ દિશા બદલી રહ્યો છે,પરંતુ ટાર્ગેટ સમજી શકાય છે.